ભારત સરકારે ખેડૂતોની આવક વધારવા અને બજાર પ્રણાલીને વધુ પારદર્શક બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. કૃષિ સચિવ દેવેશ ચતુર્વેદીએ દેશભરની હોટેલો અને રેસ્ટોરન્ટ્સના સંચાલકોને અપીલ કરી છે કે, તેઓ ફળો, શાકભાજી અને અન્ય ખાદ્ય સામગ્રી સીધા ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) પાસેથી ખરીદે. આ વ્યવસ્થાથી બજારમાં બિચોલિયાની ભૂમિકા ખતમ થશે, જેના પરિણામે ખેડૂતોને તેમની ઉપજના વાજબી ભાવ મળી શકશે, તેમ પી.ટી.આઈ.ના અહેવાલમાં જણાવાયું છે.

