Eid-Ul-Fitr 2023: રમઝાનનો પવિત્ર મહિનો તેના અંતને આરે છે. વિશ્વભરના મુસ્લિમો ઈદ-ઉલ-ફિત્રના મહત્વપૂર્ણ તહેવારની ઉજવણી માટે તૈયારી કરી રહ્યા છે. એક મહિનાના ઉપવાસના અંતે ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્ર મુસ્લિમ સમુદાય માટે સૌથી મોટો તહેવાર છે, તેથી દરેક ઉંમરના લોકો ઈદની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. જે રીતે પવિત્ર રમઝાન માસની શરૂઆત ચંદ્રદર્શન પછી થાય છે, તેવી જ રીતે રમઝાનના અંતિમ દિવસે ચાંદના દર્શન થયા બાદ ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રમઝાન મહિનો 24 માર્ચથી શરૂ થયો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ચાંદના દર્શન થયા બાદ ભારતમાં 21 કે 22 એપ્રિલે ઈદનો તહેવાર મનાવવામાં આવશે.

