ભારત બાંગ્લાદેશ સંકટ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશને લઈને લોકસભા અને રાજ્યસભામાં બોલવાના છે. બપોરે 2.30 વાગ્યે રાજ્યસભામાં અને બપોરે 3:30 વાગ્યે લોકસભામાં બાંગ્લાદેશના મુદ્દા પર બોલશે. આ દરમિયાન તેઓ બાંગ્લાદેશમાં તખ્તાપલટને લઈને ભારતના વલણ પર નિવેદન આપશે. આ પહેલા આજે જયશંકરની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. આ સાથે સંસદીય કાર્ય મંત્રીએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.

