Messaging app: ભારતમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ જેવી કે વોટ્સએપ, ટેલિગ્રામ, જિયો ચેટ, સિગ્નલ અને Arrataiના સંચાલનના નિયમોમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. હવે આ એપ્સનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં સક્રિય સિમ કાર્ડ હોવું ફરજિયાત બનશે. સરકારનો આ નિર્ણય ડિજિટલ પ્લેટફોર્મ પર સતત વધી રહેલા ઓનલાઈન ફ્રોડ અને સ્પામને રોકવા માટે લેવામાં આવ્યો છે.

