DRDO Missile : ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસિત તમામ પરંપરાગત મિસાઈલ સિસ્ટમની ટેકનોલોજી દેશની ખાનગી કંપનીઓને ટ્રાન્સફર કરવા માટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

