જો ભારત ઇચ્છે તો રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. એટલું જ નહીં, વ્હાઇટ હાઉસને પણ વિશ્વાસ છે કે ભારત યુક્રેન યુદ્ધને રોકી શકે છે. રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને અન્ય અમેરિકન નેતાઓને પીએમ મોદીની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે રશિયા અને યુક્રેનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ જો બાયડને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. તમને એ પણ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ રશિયાના પ્રવાસ બાદ યુક્રેન ગયા હતા. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને મોદી સાથે ફોન પર વાત કરી હતી.

