India Iran Relations: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને અમેરિકાના કડક વલણ વચ્ચે ફરી એકવાર ચાબહાર પોર્ટ ચર્ચાના કેન્દ્રમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25% વધારાના ટેરિફ લગાવવાની ચીમકી આપી છે. આ ધમકી બાદ સોશિયલ મીડિયાથી લઈને ડિપ્લોમેટિક સર્કલમાં સવાલો ઉઠ્યા કે શું ભારત અમેરિકાના દબાણમાં આવીને ચાબહાર પ્રોજેક્ટ પડતો મૂકશે? જોકે, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે ચાબહાર ભારત માટે માત્ર એક પોર્ટ નથી, પણ એક વ્યૂહાત્મક મજબૂરી અને જરૂરિયાત છે.

