Indian Space Mission: ભારત 2025 સુધીમાં માનવીને અંતરિક્ષમાં મોકલશે, 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન બનાવશે
Indian Space Mission: ચંદ્રયાન અને આદિત્ય એલ-1ની સફળતા પછી ભારતે અંતરિક્ષ કાર્યક્રમને વેગ આપવાનો નિર્ણય લીધો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતરિક્ષ કાર્યક્રમની સમીક્ષા કરી હતી અને કેટલાક ટાર્ગેટ નક્કી કર્યા હતા. તે પ્રમાણે ભારત હવે નાસાની જેમ પોતાનું અંતરિક્ષ મથક બનાવશે. માનવીને સ્પેસમાં મોકલવા માટે ભારત હવે મોડ્યુલ ટેસ્ટિંગ કરવાની તૈયારીમાં છે.
Indian Space Mission: ભારત 2025 સુધીમાં માનવીને અંતરિક્ષમાં મોકલશે, 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન બનાવશે
Indian Space Mission:ભારતને ચંદ્રયાન પ્રોજેક્ટમાં મોટી સફળતા મેળવ્યા પછી હવે માનવીને અંતરિક્ષમાં મોકલવાનો, ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનો અને માનવીને ચંદ્ર પર ઉતારવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનની સિદ્ધિની સમીક્ષા કરવા માટે આજે બેઠક યોજી હતી જેમાં કેટલાક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યા હતા. ભારત હવે પોતાના સ્પેસ પ્રોગ્રામમાં આક્રમક રીતે કામ કરવા માગે છે. આ અઠવાડિયે 21 ઓગસ્ટે ક્રૂ એસ્કેપ સિસ્ટમની પ્રથમ ડેમોન્સ્ટ્રેશન ફ્લાઈટનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરેલા ટાર્ગેટ પ્રમાણે આગામી બે વર્ષમાં એટલે કે 2025 સુધીમાં ભારત માનવીને અંતરિક્ષમાં મોકલશે. ત્યાર પછી 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. અને 2040 સુધીમાં ભારત માનવીને ચંદ્રની સપાટ પર ઉતારવા માગે છે.
આજે વડાપ્રધાન સાથેની મિટિંગમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સે ગગનયાન વિશે એક વિસ્તૃત ઓવરવ્યૂ આપ્યો હતો જેમાં હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ અને સિસ્ટમ ક્વોલિફિકેશન જેવી ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારત હવે 20 મહત્ત્વના ટેસ્ટ કરવાનું છે જેમાં 21 ઓક્ટોબરથી ટેસ્ટની શરૂઆત થશે. અત્યાર સુધીમાં માત્ર અમેરિકા જ માનવીને ચંદ્ર પર ઉતારવામાં સફળ થયું છે. પશ્ચિમ દેશોએ પોતાનું સ્પેસ સ્ટેશન બનાવ્યું હતું જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરીકે ઓળખાય છે અને હજુ ઓપરેશનલ છે. આ ઉપરાંત રશિયાએ પણ પોતાનું સ્પેસ સ્ટેશન મિર બનાવ્યું હતું.
તાજેતરમાં ચંદ્રયાન અને આદિત્ય એલ-1 રોકેટની સાથે સફળતા મેળવનાર ઈસરોએ હવે ગગનયાન માટે તૈયારી આદરી દીધી છે. માનવીને અંતરિક્ષમાં મોકલવા માટે એક સ્પેશિયલ ટેસ્ટ વ્હિકલ તૈયાર કરવામાં આવ્યું છે જેનું આગામી શનિવારે ટેસ્ટિંગ થશે. વાસ્તવિક ગગનયાન મિશનમાં માનવીને સ્પેસમાં મોકલીને પછી તેમને સહીસલામત પરત લાવવાનો પ્લાન છે જ્યારે ટીવી-ડી1માં ઈસરો એક અનપ્રેશરાઈઝ્ડ ક્રૂ મોડ્યુલનો ઉપયોગ કરશે જેનું ટેસ્ટિંગ થઈ ચુક્યું છે.
ભારતે જે અનપ્રેશરાઈઝ્ડ ક્રુ મોડ્યુલ બનાવ્યું છે તેનો આકાર અને સાઝ વાસ્તવિક ગગનયાનના સીએમ જેટલો જ હશે. આ ઉપરાંત તેમાં પેરેશ્યુટ્સ, રિકવરી એઈડ્સ, એક્યુટેશન સિસ્ટમ પણ સામેલ હશે. ગગનયાન મિશન રવાના થશે ત્યારે તેની ઝડપ 1482 કિમી પ્રતિ કલાક હશે અને આ ઝડપે ગગનયાન ઉડી શકે છે કે નહીં તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે. ભારતે જે ક્રુ મોડ્યુલ તૈયાર કર્યું છે જેને 21 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે શ્રીહરિકોટા ખાતે ટેસ્ટ કરવામાં આવશે. આ એક શોર્ટ ડ્યુરેશન મિશન હશે અને લોન્ચ વ્યૂ ગેલેરીની વિઝિબિલિટી મર્યાદિત હશે. શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો શ્રીહરિકોટામાં આ લોન્ચ જોઈ શકશે.