Indian Railway: 4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ વખતે આ મહિનો લગભગ 2 મહિના સુધી ચાલશે. તેની તૈયારી ભાગલપુર રેલવે સ્ટેશન પર કરવામાં આવી રહી છે. અહીંના ફૂડ પ્લાઝામાં માત્ર શાકાહારી ખોરાક જ ઉપલબ્ધ રહેશે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ જાહેરાત કરી છે કે ભાગલપુર જિલ્લામાં 'શ્રાવણ' મહિના દરમિયાન માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માંસાહારી ખોરાક પીરસવામાં આવશે નહીં. આ સિસ્ટમ 4 જુલાઈથી શરૂ થશે, જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે 4 જુલાઈથી માંસાહારી ભોજન પીરસવાનું બંધ થઈ જશે.

