કંબોજે કહ્યું કે, ભારત સંઘર્ષને ઓછો કરવા અને પેલેસ્ટાઈનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય સક્ષમ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ પ્રયાસોનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે, અમે આતંકવાદના તમામ સ્વરૂપો અને તેના પ્રસારનો વિરોધ કરીએ છીએ, સ્પષ્ટપણે હિંસા સામે અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની તરફેણમાં છીએ અને તે સુનિશ્ચિત કરીએ છીએ કે સંઘર્ષમાં વધુ વધારો થતો અટકાવવામાં આવે, માનવતાવાદી સહાય ચાલુ રહે. તમામ બંધકોને બિનશરતી મુક્ત કરવા જોઈએ અને તમામ પક્ષોએ શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે કામ કરવું જોઈએ. કંબોજે રેખાંકિત કર્યું કે આ દિશામાં, અમે માનવતાના ધોરણે યુદ્ધવિરામ માટેના પ્રયાસોને પણ આવકારીએ છીએ.