Jammu Bus Accident: જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસ વૈષ્ણોદેવીના દર્શન કરવા મુસાફરોને લઈને અમૃતસરથી કટરા જઈ રહી હતી. આ અકસ્માતમાં 7 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

