Ladakh Curfew and Tourism: લદ્દાખનો પર્યટન ઉદ્યોગ હાલ ભારે મુશ્કેલીમાં છે. લેહમાં તાજેતરના પ્રદર્શનો અને જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડે સ્થિતિને વધુ ગંભીર બનાવી છે. અગાઉ એપ્રિલ 2025માં પહેલગામ હુમલા બાદ પર્યટકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ 24 સિપ્ટેમ્બરે લેહમાં લાગેલા અનિશ્ચિત કાળના કર્ફ્યૂએ પર્યટનને પૂર્ણપણે ઠપ્પ કરી દીધું છે. આનાથી ઘણા પ્રવાસીઓ લેહમાં ફસાયા છે અને તેમને ખાણી-પીણી સહિતની મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.