Nitin Gadkari on Ethanol: કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલમાં 20% એથનોલ મિશ્રણની નીતિ પર ઉઠેલા આરોપોનો સણસણતો જવાબ આપ્યો છે. તેમણે આ આરોપોને ‘પેઇડ ન્યૂઝ’ ગણાવીને એક શક્તિશાળી આયાત લોબીનું કામ હોવાનો દાવો કર્યો છે. ગડકરીએ પોતાની તુલના ફળદાયી વૃક્ષ સાથે કરતાં કહ્યું, “જે વૃક્ષ ફળ આપે છે, લોકો તેના પર જ પથ્થર ફેંકે છે. આવી ટીકાઓ પર ધ્યાન ન આપવું એ જ શ્રેષ્ઠ છે.”