LPG subsidy: ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને થોડી વધુ રાહત આપતા, સરકારે એલપીજી ગેસ સિલિન્ડર પરની સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે 4 ઓક્ટોબરે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

