'યુવાનોના મનમાં નવા આઈડિયા આવવા જોઈએ', Gen-Z સાથેના ખેલો ઇન્ડિયા સંવાદમાં પીએમ મોદીએ આપ્યો ખાસ સંદેશ | Moneycontrol Gujarati
Get App

'યુવાનોના મનમાં નવા આઈડિયા આવવા જોઈએ', Gen-Z સાથેના ખેલો ઇન્ડિયા સંવાદમાં પીએમ મોદીએ આપ્યો ખાસ સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનરેશન Z સાથે 'ખેલો ઇન્ડિયા સંવાદ'માં ભાગ લીધો. પીએમ મોદીએ યુવાનોને કહ્યું કે 'જે રમે છે તે ખીલે છે'. જાણો સંવાદની તમામ વિગતો.

અપડેટેડ 12:09:53 PM Aug 27, 2026 પર
Story continues below Advertisement
કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા પણ સામેલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં યુવાનો અને રમતગમતને એક નવી જ પ્રાથમિકતા મળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની નવી પેઢી એટલે કે જનરેશન ઝેડ સાથે સીધો સંવાદ કર્યો હતો. 'ખેલો ઇન્ડિયા સંવાદ' નામના આ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, "યુવાનોના મનમાં સતત નવા આઈડિયા આવવા જોઈએ. રમતગમત આપણને જીવનના મુશ્કેલ પડકારો સામે લડતા શીખવે છે."

લાલ કિલ્લા પરથી રજૂ કર્યું હતું દેશનું 'સ્પોર્ટ્સ વિઝન'

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં 15 ઓગસ્ટનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે, "આ વખતે 15 ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી દેશ સમક્ષ ભારતનું એક નવું 'સ્પોર્ટ્સ વિઝન' રજૂ કર્યું હતું. જ્યારે પણ હું રમતગમતની વાત કરું છું, ત્યારે તેનો અર્થ માત્ર મેડલ જીતવા પૂરતો સીમિત નથી હોતો. આ તો એક 'વિકસિત ભારત' ના નિર્માણ માટે દેશની રમતગમતની ક્ષમતા અને યુવા શક્તિને એકજૂટ કરવાનું એક મોટું અભિયાન છે."

પીએમ મોદીનો મંત્ર: 'જે રમે છે, તે ખીલે છે'

વડાપ્રધાને એક સુંદર ઉદાહરણ આપતા કહ્યું કે, "જે રમે છે, તે ખીલે છે. રમતગમતમાં 'ખીલવા' નો અર્થ માત્ર મેદાન પર જીત મેળવવી એવો નથી થતો, પરંતુ તેનો સાચો અર્થ વ્યક્તિ અને તેના પરિવારનો વિકાસ થવો અને દેશનું સન્માન વધારવો છે."


તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યારે કોઈ ખેલાડી સફળ થાય છે, ત્યારે તે માત્ર તેની એકલાની સફળતા નથી હોતી. આ સફળતાથી તેના પરિવાર, શાળા, કોલેજ, જિલ્લા અને રાજ્યની ઓળખ મજબૂત બને છે. આખી દુનિયા તે શહેર કે રાજ્યને તે ખેલાડીના નામથી ઓળખવા લાગે છે.

રમતગમત હવે રાષ્ટ્રીય પ્રાથમિકતા બની ગઈ છે: મનસુખ માંડવિયા

આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા પણ સામેલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં યુવાનો અને રમતગમતને એક નવી જ પ્રાથમિકતા મળી છે.

મનસુખ માંડવિયાએ પીએમ મોદીનો આભાર માનતા કહ્યું કે, "સાહેબ, તમે યુવાનોને ભારતનું ઉજ્જવળ વર્તમાન અને ભવિષ્ય માન્યા છે. તમે તેમને 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પ સાથે જોડ્યા છે. તમારા નેતૃત્વમાં દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે રમતગમતને માત્ર એક ટાઈમપાસ પ્રવૃત્તિ તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે જોવામાં આવે છે."

આ પણ વાંચો-8th Pay Commission: 3.61 થી 4.00 સુધી ફિટમેન્ટ ફેક્ટરની માંગ, જાણો કેટલી વધશે સરકારી કર્મચારીઓની બેઝિક સેલરી અને પેન્શન?

MoneyControl News

MoneyControl News

First Published: Aug 27, 2026 12:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.