ભારત સરકારે ગુરુવારે (29 મે) ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો કે તેમણે વેપારના બદલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં મદદ કરી હતી. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તાજેતરના લશ્કરી તણાવ દરમિયાન બંને દેશો વચ્ચેની કોઈપણ ચર્ચામાં વેપારનો મુદ્દો આવ્યો નથી. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે (29 મે) ફરી એકવાર એવા દાવાઓને નકારી કાઢ્યા કે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકવાદી શિબિરો પર 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યા પછી બંને દેશો વચ્ચે થયેલી વાટાઘાટોમાં અમેરિકા સાથે વેપાર પર કોઈ ચર્ચા થઈ હતી.