આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ભારતની મુલાકાતે આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 166 ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધી આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 166 ટકા વધુ છે.

