Pahalgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા ઘાતક આતંકી હુમલામાં 26 પર્યટકોનાં મોત થયાં છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે. આ હુમલો છ આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો, જેમણે બેસરન વેલીમાં પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે, અને સરકારે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી છે.