Nawaz Sharif on india: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો મોટી કબૂલાત સામે આવી છે. પહેલીવાર તેણે ભારતને લઈને પોતાની ભૂલ સ્વીકારી છે. નવાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાને ભારત સાથેની સંધિનું ઉલ્લંઘન કર્યું છે. શરીફે જણાવ્યું કે તેમની અને ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વચ્ચે 1999માં એક કરાર થયો હતો. તેને પાકિસ્તાને તોડી નાખ્યું હતું. તેમણે આડકતરી રીતે જનરલ પરવેઝ મુશર્રફની કારગીલમાં ઘૂસણખોરીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે અમારી ભૂલ હતી. આ સિવાય તેણે પરમાણુ પરીક્ષણને લઈને પણ મોટો દાવો કર્યો હતો.

