Qatar court: ગયા વર્ષે 27 ઓક્ટોબર, 2023 ના રોજ કતરની કોર્ટે કતરમાં ધરપકડ કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી ત્યારે બધા ચોંકી ગયા હતા. હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કતર કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવતા ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોની અપીલ સ્વીકારી લીધી છે અને આ કેસની આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ અપીલ ભારત સરકાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.

