ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના અર્થતંત્ર અંગે આશાવાદી દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મજબૂત અર્થતંત્ર અને અમેરિકા તેમજ યુરોપ સાથે સંભવિત વેપાર સમજૂતીઓને કારણે વ્યાજ દરો લાંબા સમય સુધી નીચા રહેવાની શક્યતા છે. ફાઇનાન્સિયલ ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

