વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે શુક્રવારે ગોવામાં આયોજિત શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટની બેઠકને સંબોધિત કરી હતી. એસસીઓ સમિટમાં જયશંકરે આતંકવાદનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે બધાએ સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે. આતંકવાદ હજુ પણ પરાજય પામ્યો નથી. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની હાજરીમાં જયશંકરે કહ્યું કે અમે કોઈપણ કિંમતે સીમા પારના આતંકવાદને સહન નહીં કરીએ. તેમણે કહ્યું કે આતંકવાદ સામે લડવું એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

