ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા બાદ આજે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, થલસેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહ અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિને ઓપરેશન સિંદૂરની વિગતો અંગે માહિતી આપી. રાષ્ટ્રપતિ મુર્મૂએ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની ભૂરી ભૂરી પ્રશંસા કરી, જેના કારણે આતંકવાદ સામે ભારતનો પ્રતિસાદ ઐતિહાસિક સફળતામાં ફેરવાયો.