Valsad News: જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે. આથી ગામમાં ભયનો માહોલ છે. આ આંચકાઓને કારણે ગામમાં જમીનમાં 500 મીટર જેટલી લાંબી તિરાડ પડી છે. આથી લોકોમાં ભયનો માહોલ છે. તાલુકામાં જાણ થતાં જ તંત્રની ટીમો પણ દોડતી થઈ છે. જો કે, હજુ સુધી આ આંચકા ભૂકંપના છે કે અન્ય કોઈ કારણ? તે જાણી શકાયું નથી.
બનાવની વિગત મુજબ, કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામના કુજવેરી ફરિયામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ જેવા ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી ભેદી આંચકાઓના ચાલી રહેલા સિલસિલાને કારણે ગામમાં ઠેર ઠેર જમીનમાં લાંબી તિરાડો પડી છે. 500 મીટરથી વધુ લાંબી ભેદી તિરાડોને કારણે લોકોમાં ભયનો માહોલ છે.
જો કે, હજુ સુધી ગામમાં અનુભવાઈ રહેલા આ ભેદી આંચકાઓ ભૂકંપના કારણે અનુભવી રહ્યા છે કે કોઈ અન્ય કારણ, તે જાણવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. જો કે, અત્યારે તો આ ભેદી આંચકાઓને લઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.