બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ વચગાળા પીએમ માટેની રેસ તેજ થઈ ગઈ છે. આ રેસમાં નોબેલ પુરસ્કાર વિજેતા ડો.મોહમ્મદ યુનુસનું નામ મોખરે છે. વિદ્યાર્થી આંદોલનના વડા નાહીદ ઇસ્લામે મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની સંમતિ આપી છે. સાથે જ ખાલિદ ઝિયાના પુત્ર તારિક રહેમાન પણ વચગાળાના વડાપ્રધાનની રેસમાં હોવાનું કહેવાય છે. વરિષ્ઠ વકીલ સારા હુસૈન, નિવૃત્ત થ્રી સ્ટાર જનરલ જહાંગીર આલમ ચૌધરી અને બાંગ્લાદેશ બેંકના ભૂતપૂર્વ ગવર્નર સાલેહુદ્દીન અહેમદ પણ રેસમાં હોવાનું કહેવાય છે.

