Parliament, Winter Session: સંસદના શીતકાલીન સત્ર 2025 પહેલાં રાજ્યસભા દ્વારા એક મહત્વપૂર્ણ બુલેટિન જારી કરવામાં આવ્યું છે, જેમાં સભ્યોને ગૃહના સામાન્ય શિષ્ટાચારનું પાલન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. આ બુલેટિનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સભાપતિ (ચેર) દ્વારા આપવામાં આવેલા કોઈપણ નિર્ણયની ગૃહની અંદર કે બહાર ક્યાંય પણ ટીકા થવી જોઈએ નહીં. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની નારાબાજી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન (C.P. Radhakrishnan)ના રાજ્યસભાના સભાપતિ તરીકેનું આ તેમનું પહેલું સંસદીય સત્ર છે.

