Wrestlers Vs WFI: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોના મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે હડતાળ પર ઉતરેલા દેશના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કુસ્તીબાજોનો વિરોધ સોમવારે બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. કુસ્તીબાજોનું કહેવું છે કે ત્રણ મહિના પછી પણ તેમને ન્યાય મળ્યો નથી. જેથી અમારે ફરીથી વિરોધ કરવાની ફરજ પડી છે. 23 એપ્રિલથી જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજોએ રવિવારે ત્યાં રાત વિતાવી હતી. તેમનું કહેવું છે કે જ્યાં સુધી WFI ચીફ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમના ધરણા ચાલુ રહેશે.

