સરકારે બુધવારે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાની જાહેરાત કરી છે. સરકારની આ યોજના પર આજે એક ખૂબ જ મોટું અને મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ મેળવવા માટે, 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોએ મોબાઈલ એપ દ્વારા અરજી કરવાની રહેશે.