પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે સમગ્ર દુનિયામાં ફ્યુઅલ (ઈંધણ) ના સપ્લાયને લઈને ચિંતાઓ વધી ગઈ છે. આ વૈશ્વિક સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશના નાગરિકોને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ઈંધણની કોઈ જ અછત નથી. પરંતુ, આ પરિસ્થિતિનો ખોટો લાભ ઉઠાવીને LPG સિલિન્ડર (LPG Cylinder) નું કાળાબજાર કરતા લેભાગુ તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. કાળાબજારિયાઓને પકડવા માટે દેશભરમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

