ITR Refund: ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભર્યા પછી જ્યારે રિફંડના પૈસા ખાતામાં જમા થાય છે, ત્યારે કરદાતાને મોટી રાહત મળે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે રિફંડ મળવામાં ખૂબ મોડું થઈ જાય છે. નિયમ મુજબ, જો રિફંડ મોડું મળે તો આવકવેરા વિભાગે તેના પર વ્યાજ ચૂકવવું પડે છે. જોકે, ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમને રિફંડ તો મોડું મળ્યું, પરંતુ તેના પર એક રૂપિયો પણ વ્યાજ મળ્યું નથી.

