Get App

હવે રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે! RBIએ જાહેર કર્યા કડક નિયમો, લોન લેનારાઓને મળશે મોટી રાહત

RBI New Rules: જો તમે લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે રાહતના છે. RBIએ રિકવરી એજન્ટો માટે નવા અને કડક નિયમો જાહેર કર્યા છે. હવે એજન્ટો મનફાવે ત્યારે ફોન કે ગેરવર્તન કરી શકશે નહીં. જાણો તમારા અધિકારો વિશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2026 પર 1:01 PM
હવે રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે! RBIએ જાહેર કર્યા કડક નિયમો, લોન લેનારાઓને મળશે મોટી રાહતહવે રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે! RBIએ જાહેર કર્યા કડક નિયમો, લોન લેનારાઓને મળશે મોટી રાહત
RBI New Rules: જો તમે લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે રાહતના છે.

RBI New Rules: જો તમે કોઈ બેંક કે સંસ્થા પાસેથી લોન લીધી હોય અને તેના હપ્તા ભરવામાં મોડું થાય તો ઘણીવાર રિકવરી એજન્ટોના ત્રાસનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સામાન્ય માણસની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લોન રિકવરી પ્રક્રિયાને લઈને RBI એ નવા નિયમો જાહેર કર્યા છે, જેના કારણે હવે એજન્ટોની મનમાની અને ગેરવર્તણૂક પર બ્રેક લાગશે.

આ નવા નિયમો તમામ કોમર્શિયલ બેંકો, ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અને NBFC (નોન-બેંકિંગ ફાયનાન્શિયલ કંપનીઓ) ને લાગુ પડશે. ચાલો સાદી અને સરળ ભાષામાં સમજીએ કે આ નવા નિયમો શું છે અને તેનાથી તમને શું ફાયદો થશે.

બેંકોએ બનાવવી પડશે સ્પષ્ટ નીતિ

RBIએ તમામ નાણાકીય સંસ્થાઓને આદેશ આપ્યો છે કે તેમણે રિકવરી એજન્ટોની નિમણૂક માટે એક સ્પષ્ટ નીતિ બનાવવી પડશે. બેંકોએ હવે એજન્ટોની ભરતી કરતી વખતે તેમની યોગ્યતા અને આચારસંહિતાનું ધ્યાન રાખવું પડશે. એટલું જ નહીં, ગ્રાહકો છેતરાય નહીં તે માટે બેંકોએ પોતાની વેબસાઇટ અને દરેક શાખા પર અધિકૃત રિકવરી એજન્ટોનું લિસ્ટ જાહેર કરવું પડશે.

ગ્રાહક ફરિયાદ કરે તો રિકવરી અટકશે

આ નિયમોમાં સૌથી મોટી રાહત એ છે કે જો કોઈ ગ્રાહક રિકવરી એજન્ટ કે પ્રક્રિયા સામે ફરિયાદ નોંધાવે, તો જ્યાં સુધી તે ફરિયાદનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બેંકે રિકવરીની પ્રક્રિયા અટકાવી દેવી પડશે. હા, જો તપાસમાં ગ્રાહકની ફરિયાદ ખોટી સાબિત થાય તો જ પ્રક્રિયા આગળ વધશે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકનું સાંભળવામાં આવશે.

રિકવરી એજન્ટો માટે કડક લાયકાત

બધા સમાચાર

+ વધુુ વાંચો