NPS New Rules: નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરતા કરોડો નોકરિયાત અને અન્ય લોકો માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ NPS ની સ્કીમ્સના નામ, વર્ગીકરણ અને પ્રેઝન્ટેશનને લઈને એક નવો અને પારદર્શક ફ્રેમવર્ક જાહેર કર્યો છે.
NPS New Rules: નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરતા કરોડો નોકરિયાત અને અન્ય લોકો માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ NPS ની સ્કીમ્સના નામ, વર્ગીકરણ અને પ્રેઝન્ટેશનને લઈને એક નવો અને પારદર્શક ફ્રેમવર્ક જાહેર કર્યો છે.
આ નવા ફેરફારનો મુખ્ય હેતુ તમામ પેન્શન ફંડ્સની સ્કીમ્સમાં સમાનતા લાવવાનો છે. જેથી રોકાણકારો માટે રિસ્ક અને રિટર્નની સરખામણી કરવી એકદમ સરળ બની જાય. ચાલો જાણીએ PFRDA ના આ નવા આદેશ પછી NPS માં કયા 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને તમારા રોકાણ પર તેની શું અસર પડશે.
1. NPS ની તમામ સ્કીમ્સ 5 ભાગમાં વહેંચાઈ
PFRDA ના નવા નિયમ મુજબ, હવે NPS ની તમામ જૂની અને નવી સ્કીમ્સને મુખ્ય 5 કેટેગરીમાં વહેંચવામાં આવશે. આમાં ઉંમર વધવાની સાથે ઈક્વિટી અને બોન્ડ્સનું પ્રમાણ પોતાની મેળે જ બદલાય છે (જેમ કે LC-Aggressive, LC-50). આમાં રોકાણકારો પોતાની મરજીથી શેરબજાર અને સરકારી બોન્ડ્સમાં પૈસા રોકી શકે છે. આ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના લોકો માટે છે. આમાં NPS વાત્સલ્ય, NPS સ્વાસ્થ્ય અને NPS MSME જેવી ખાસ સ્કીમ્સ સામેલ રહેશે. આમાં શેરબજારમાં રોકાણની માત્રાના આધારે સ્કીમ્સ નક્કી થશે.
2. MSF સ્કીમ્સ માટે નવું 'રિસ્ક અને ઈક્વિટી' મોડલ
સૌથી મોટો ફેરફાર મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્કમાં થયો છે. શેરબજારમાં કેટલા ટકા પૈસા રોકવામાં આવ્યા છે, તેના આધારે તેને 5 સબ-કેટેગરીમાં વહેંચવામાં આવી છે.
કેટેગરી A: 80% થી 100% ઈક્વિટી (ખૂબ વધારે રિસ્ક)
કેટેગરી B: 60% થી 80% ઈક્વિટી (વધારે રિસ્ક)
કેટેગરી C: 35% થી 60% ઈક્વિટી (મધ્યમ રિસ્ક)
કેટેગરી D: 10% થી 35% ઈક્વિટી (ઓછું રિસ્ક)
કેટેગરી E: 0% થી 10% ઈક્વિટી (સૌથી ઓછું રિસ્ક)
ખાસ નોંધ: હવે કોઈ પણ સ્કીમ પોતાની નક્કી કરેલી કેટેગરીની લિમિટ પાર કરીને શેરબજારમાં પૈસા નહીં લગાવી શકે.
3. 30 દિવસની અંદર સ્કીમ્સના નામ બદલાશે
રોકાણકારો ગેરમાર્ગે ન દોરાય તે માટે PFRDA એ નામ માટે એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ નક્કી કર્યું છે. હવે દરેક સ્કીમનું નામ "ફંડ હાઉસનું નામ + NPS + કેટેગરી કોડ + સ્કીમનું નામ" આ રીતે જ રાખવું પડશે. જો Tier-2 એકાઉન્ટ હશે, તો પાછળ 'Tier 2' લખવું ફરજિયાત છે. તમામ પેન્શન ફંડ્સે 30 દિવસની અંદર આ નવા નિયમ મુજબ નામ બદલવા પડશે.
4. 45 દિવસમાં સ્કીમ્સનું થશે મર્જર
હવે કોઈ પણ પેન્શન ફંડ (જેમ કે SBI, LIC, HDFC) એક જ કેટેગરીમાં Tier-I અથવા Tier-II હેઠળ વધુમાં વધુ 2 સ્કીમ જ ચલાવી શકશે. જો કોઈ ફંડ હાઉસ પાસે એક જ કેટેગરીમાં 2 થી વધુ સ્કીમ્સ છે, તો તેમણે 45 દિવસની અંદર તેને મર્જ કરવી પડશે. જોકે, આમ કરતા પહેલા રોકાણકારોને જાણ કરવામાં આવશે.
5. સ્કીમ પસંદ કરતા પહેલા 'Risk-o-meter' દેખાશે
હવેથી તમે જ્યારે પણ NPS માં કોઈ સ્કીમ પસંદ કરશો, ત્યારે તમને પૂરેપૂરી પારદર્શક માહિતી મળશે. મ્યુચ્યુઅલ ફંડની જેમ જ હવે ફંડ હાઉસનું નામ, પાછલું રિટર્ન, લાગતો ચાર્જ, 'Risk-o-meter' (રિસ્કનું પ્રમાણ) અને કુલ ફંડ સાઈઝ દેખાડવી ફરજિયાત છે.
સ્કીમ બદલવા અંગેના નિયમો
રોકાણકારો એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 2 વાર પોતાનું પેન્શન ફંડ અથવા સ્કીમ બદલવાની રિકવેસ્ટ કરી શકે છે. જો કોઈ MSF સ્કીમ બંધ થઈ જાય અને રોકાણકાર કોઈ બીજો વિકલ્પ પસંદ ન કરે, તો તેને આપોઆપ 'LC 50 – Moderate' સ્કીમમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.