RBI MPC Meeting: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 8 એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. સામાન્ય માણસ અને લોન ધારકોને રાહત આપતા આરબીઆઈએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI એ પોતાનો રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો મોટો નિર્ણય લીધો છે. બેંકનું આ પગલું દર્શાવે છે કે, હાલની વૈશ્વિક અનિશ્ચિતતાઓ (જેમ કે ભૌગોલિક રાજકીય તણાવ અને કોમોડિટીના ભાવમાં ઉતાર-ચઢાવ) અને સ્થાનિક મોંઘવારી વચ્ચે બેંક ખૂબ જ સાવધાનીપૂર્વક સંતુલન જાળવી રહી છે.

