ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન લેનારાઓને એવા અધિકારો આપ્યા છે જે તેમને રિકવરી એજન્ટોના હેરાનગતિથી બચાવે છે. આ નિયમો લોન ડિફોલ્ટના કિસ્સામાં બોરોઅર્સના હિતોનું રક્ષણ કરે છે અને નૈતિક રિકવરી પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે. જો તમે લોન લીધી હોય અથવા લેવાનું વિચારી રહ્યા હો, તો RBIના આ 5 મહત્વના નિયમો જાણવા અનિવાર્ય છે. આ નિયમો ન માત્ર તમારા અધિકારોનું રક્ષણ કરે છે, પરંતુ રિકવરી એજન્ટોની ગેરકાયદેસર હેરાનગતિ સામે પણ ‘સુરક્ષા કવચ’નું કામ કરે છે.