Unclaimed money: શું તમારા કોઈ જૂના બેંક ખાતામાં પૈસા અટવાયેલા છે? ચિંતા ન કરો! હવે નિષ્ક્રિય બેંક ખાતામાંથી પૈસા નીકળવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા નિયમો અનુસાર, તમે અથવા તમારા કાનૂની વારસદાર કોઈપણ સમયે આ પૈસા પાછા મેળવી શકે છે, ભલે ખાતું બે વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય હોય.