Ramdev Agarwal tips: શેરબજારમાં અત્યારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારમાં સતત ઘટાડા અને દબાણને કારણે રોકાણકારો ચિંતિત છે. માર્કેટની આ વર્તમાન સ્થિતિને સમજવા માટે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના ચેરમેન રામદેવ અગ્રવાલે કેટલીક મહત્વની વાતો શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે બજાર માટે અત્યારે સૌથી મોટો પડકાર શું છે અને રોકાણકારોએ આવી સ્થિતિમાં શું કરવું જોઈએ.

