Get App

Gujarat Budget 2025: ઘરનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે ગુજરાત સરકારે આપ્યા સારા સમાચાર, સબસિડીમાં કરાયો 50 હજારનો વધારો

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. વિધાનસભામાં ગુજરાતનું કુલ 3 લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ રાજકોષીય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2025 પર 3:16 PM
Gujarat Budget 2025: ઘરનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે ગુજરાત સરકારે આપ્યા સારા સમાચાર, સબસિડીમાં કરાયો 50 હજારનો વધારોGujarat Budget 2025: ઘરનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે ગુજરાત સરકારે આપ્યા સારા સમાચાર, સબસિડીમાં કરાયો 50 હજારનો વધારો
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે.

Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ મહત્ત્વની જાહેરાત કરી હતી. આ બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે સારા સમાચાર છે. રાજ્યના નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રાજ્યના ગરીબો માટે 3 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે.

નવા ઘર ખરીદવા પર સબસિડીમાં વધારો કરાયો

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો