ભારતીય અર્થતંત્ર માટે આવનારો સમય પડકારજનક સાબિત થઈ શકે છે. છેલ્લા એક વર્ષથી મોંઘવારી અને આર્થિક સુસ્તી વચ્ચે સંતુલન જાળવી રહેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે કડક નિર્ણય લેવા મજબૂર બની શકે છે. જાણીતી બ્રોકરેજ ફર્મ ઝેરોધાના કો-ફાઉન્ડર અને સીઈઓ નિતિન કામતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

