Gautam Adani: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ બજાર નિયામક સંસ્થા SEBI દ્વારા ક્લીન ચિટ મળ્યા બાદ કર્મચારીઓને એક ભાવનાત્મક સંદેશ મોકલ્યો છે. જાન્યુઆરી 2023માં અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર ખાતામાં ગેરરીતિ, શેરની કિંમતોમાં હેરાફેરી અને ગેરપારદર્શક વિદેશી સંસ્થાઓના ઉપયોગના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોને કારણે ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ આશરે 150 બિલિયન ડોલર સુધી ઘટી ગયું હતું. જોકે, SEBIની વ્યાપક તપાસે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.