Get App

Lenskart Controversy: લેન્સકાર્ટમાં ‘બિંદી-તિલક’ પર પ્રતિબંધ? ધાર્મિક ભેદભાવના ગંભીર આરોપો વચ્ચે પિયુષ બંસલે આપી સ્પષ્ટતા

Lenskart Controversy: લેન્સકાર્ટમાં કર્મચારીઓને બિંદી, તિલક અને કલાવા પહેરવા પર પ્રતિબંધ હોવાના સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે. પિયુષ બંસલે આ અંગે સ્પષ્ટતા કરી છે, પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જાણો શું છે આખો મામલો.

MoneyControl Newsઅપડેટેડ Apr 16, 2026 પર 11:37 AM
Lenskart Controversy: લેન્સકાર્ટમાં ‘બિંદી-તિલક’ પર પ્રતિબંધ? ધાર્મિક ભેદભાવના ગંભીર આરોપો વચ્ચે પિયુષ બંસલે આપી સ્પષ્ટતાLenskart Controversy: લેન્સકાર્ટમાં ‘બિંદી-તિલક’ પર પ્રતિબંધ? ધાર્મિક ભેદભાવના ગંભીર આરોપો વચ્ચે પિયુષ બંસલે આપી સ્પષ્ટતા
Lenskart Controversy: લેન્સકાર્ટમાં કર્મચારીઓને બિંદી, તિલક અને કલાવા પહેરવા પર પ્રતિબંધ હોવાના સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે.

Lenskart Controversy: ચશ્માની જાણીતી કંપની લેન્સકાર્ટ (Lenskart) હાલ સોશિયલ મીડિયા પર ભારે વિવાદોમાં ઘેરાઈ છે. કંપની પર તેના કર્મચારીઓ સાથે ધાર્મિક ભેદભાવ કરવાનો અને હિન્દુ ધાર્મિક પ્રતીકોના ઉપયોગ પર રોક લગાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે લેન્સકાર્ટે તેના કર્મચારીઓ માટે એક સખત 'ડ્રેસ કોડ' લાગુ કર્યો છે, જેમાં બિંદી અને તિલક જેવી વસ્તુઓ પર મનાઈ ફરમાવવામાં આવી છે.

શું છે સોશિયલ મીડિયા પરના દાવા?

વાયરલ થઈ રહેલી વિગતો મુજબ, લેન્સકાર્ટની નવી ગાઈડલાઈન્સમાં મહિલા કર્મચારીઓને કપાળ પર બિંદી લગાવવાની મનાઈ છે. જો કોઈ મહિલા સિંદૂર લગાવે તો તે પણ ખૂબ જ ઓછું હોવું જોઈએ. આ સિવાય હાથમાં પહેરવામાં આવતા પવિત્ર ‘કલાવા' (નાડાછડી) પર પણ પ્રતિબંધ હોવાની વાત સામે આવી છે.

વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે શીખ ભાઈઓ માટેની પોલિસી સામે આવી. કહેવામાં આવી રહ્યું છે કે શીખ કર્મચારીઓ જો પાઘડી પહેરવા માંગતા હોય તો તેમણે માત્ર 'બ્લેક' (કાળા) રંગની જ પાઘડી પહેરવી પડશે. બીજી તરફ, સોશિયલ મીડિયા યુઝર્સનો આરોપ છે કે કંપનીમાં હિજાબ પહેરવા પર કોઈ ખાસ પાબંદી નથી, જેના કારણે લોકો તેને ધાર્મિક ભેદભાવ ગણાવી રહ્યા છે.

પિયુષ બંસલે ‘X' પર શું કહ્યું?

આ વિવાદ વધતા લેન્સકાર્ટના સ્થાપક અને CEO પિયુષ બંસલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X' પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, "સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો પોલિસી ડોક્યુમેન્ટ જૂનો છે અને તે હાલની ગાઈડલાઈન્સ દર્શાવતો નથી. કંપનીમાં બિંદી કે તિલક લગાવવા પર કોઈ જ રોક નથી."

બંસલે વધુમાં ઉમેર્યું કે કંપનીની ‘ગ્રૂમિંગ પોલિસી' સમયની સાથે બદલાતી રહે છે. વાયરલ પોસ્ટને કારણે જે પણ ભ્રમ કે ચિંતા ઊભી થઈ છે, તે માટે તેમણે માફી પણ માંગી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે લેન્સકાર્ટમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો