NSE Chief Ashishkumar Chauhan: આજે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજારમાં કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેરોમાં 4 ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ કડાકા પાછળનું મુખ્ય કારણ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના MD અને CEO આશિષકુમાર ચૌહાણનું એક નિવેદન છે. તેમણે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટના વોલ્યુમમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે રોકાણકારો ગભરાયા અને બજારમાં નફો બુક કરવાનું શરૂ કરી દીધું.

