Indian IT Companies: શેરબજારમાં રોકાણકારો હંમેશા એવા સેક્ટરની શોધમાં હોય છે જે ભવિષ્યમાં સારો નફો આપી શકે. અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો જમાનો છે, ત્યારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે AI ના આવવાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન. માર્કેટ એક્સપર્ટ અજય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ભારતીય IT કંપનીઓ તેમની આજની ખરાબ સ્થિતિ માટે પોતે જ જવાબદાર છે. રોકાણકારોએ હવે એવી કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ જેમને AI થી ખરેખર ફાયદો થવાનો છે.

