કનોહર ઇલેક્ટ્રિકલ્સ IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ કંપનીના વિકાસ માટે કરવા માંગે છે. 66.74 કરોડ રૂપિયા નવી મશીનરી અને સાધનો ખરીદવા, ઓફિસ બિલ્ડિંગનું સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ડેવલપમેન્ટ તેમજ ગંગોલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં સસ્ટેનેબિલિટી (ટકાઉપણા) પહેલ વધારવા માટે. 130 કરોડ રૂપિયા કંપનીની વધતી જતી વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. આ પબ્લિક ઈશ્યુના સંચાલન માટે કંપનીએ નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને IIFL કેપિટલ સર્વિસિસને મર્ચન્ટ બેન્કર્સ તરીકે નિયુક્ત કર્યા છે. કનોહર ઇલેક્ટ્રિકલ્સના લિસ્ટેડ હરીફોમાં હિટાચી એનર્જી ઈન્ડિયા, ભેલ (BHEL), શ્નાઈડર ઈલેક્ટ્રિક, CG પાવર અને GE વર્નોવા જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે.