ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 3 અને 4 જુલાઈએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક યાત્રા પર જશે. આ યાત્રા માત્ર રાજનૈતિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે જ નહીં, પરંતુ 180 વર્ષ પહેલાં ભારતીયોએ આ ધરતી પર પગ મૂક્યો તે ઈતિહાસ સાથે પણ જોડાયેલી છે. આ પ્રવાસ ભારત અને ત્રિનિદાદ વચ્ચેના સંબંધોને નવી દિશા આપશે અને બંને દેશો વચ્ચે ડિજિટલ, ફાર્મા, ખેતી અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારશે.

