જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રી સુરક્ષા વધારવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના કુલ 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર સામાન્ય લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય 29 મે, 2025 સુધી અમલમાં રહેશે, અને આ ટાપુઓ પર પ્રવેશ માટે પૂર્વ લેખિત પરવાનગી ફરજિયાત કરવામાં આવી છે.

