Ahmedabad Plane Crash: ગયા વર્ષે અમદાવાદમાં થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના મામલે એક ખૂબ જ મોટું અપડેટ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટનાના પ્રારંભિક તપાસ રિપોર્ટમાં ક્યાંય પણ પાયલટની ભૂલનો ઉલ્લેખ નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટે પણ મહત્ત્વની ટિપ્પણી કરી છે.

