AAIB Report: ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ના ભયાનક અકસ્માત અંગે ઈટલીના મીડિયામાં છપાયેલા અહેવાલોને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યા છે. ઈટલીના એક અખબારે દાવો કર્યો હતો કે પાયલટે જાણીજોઈને વિમાનની ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, ભારતીય તપાસ એજન્સીએ આ વાતને માત્ર અફવા અને અટકળ ગણાવી છે.

