India Pakistan tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ દરમિયાન અમેરિકી વિદેશ વિભાગે બંને દેશોના નેતાઓના શાંતિના પ્રયાસોની પ્રશંસા કરી છે. અમેરિકી વિદેશ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, "અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સમજદારી, સંયમ અને શાંતિનો માર્ગ અપનાવવાની રાજનીતિની સરાહના કરીએ છીએ."

