Get App

તિરુપતિ મંદિરમાં વધુ એક મોટો ભ્રષ્ટાચાર: નકલી ઘી પછી હવે 54 કરોડનું સિલ્ક શૉલ કૌભાંડ

Tirupati Temple Scam: તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે 54 કરોડના નકલી સિલ્ક શૉલ કૌભાંડનો પર્દાફાશ. જાણો કેવી રીતે 10 વર્ષ સુધી શ્રદ્ધા સાથે છેતરપિંડી થઈ અને TTD ટ્રસ્ટે શું કડક પગલાં લીધા.

MoneyControl Newsઅપડેટેડ Dec 12, 2025 પર 10:25 AM
તિરુપતિ મંદિરમાં વધુ એક મોટો ભ્રષ્ટાચાર: નકલી ઘી પછી હવે 54 કરોડનું સિલ્ક શૉલ કૌભાંડતિરુપતિ મંદિરમાં વધુ એક મોટો ભ્રષ્ટાચાર: નકલી ઘી પછી હવે 54 કરોડનું સિલ્ક શૉલ કૌભાંડ
TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુને શૉલની ગુણવત્તા અંગે શંકા જતાં તેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

TTD Silk Shawl Scam: આંધ્ર પ્રદેશમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં ભક્તોની શ્રદ્ધા સાથે વધુ એક મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. થોડા સમય પહેલાં નકલી ઘી કૌભાંડથી ચર્ચામાં આવેલા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)માં હવે 54 કરોડથી વધુનું સિલ્ક શૉલ કૌભાંડ બહાર આવ્યું છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે.

એક કોન્ટ્રાક્ટરે છેલ્લા 10 વર્ષથી શુદ્ધ મલબરી સિલ્કના નામે 100% પોલિએસ્ટરની બનેલી શૉલ સપ્લાય કરીને મંદિર ટ્રસ્ટને 54 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો હોવાનો ખુલાસો થયો છે.

કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?

TTD દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસમાં સામે આવ્યું કે એક કોન્ટ્રાક્ટર વર્ષ 2015થી મંદિરને શૉલ સપ્લાય કરી રહ્યો હતો. ટેન્ડરની શરતો મુજબ, આ શૉલ 100% શુદ્ધ મલબરી સિલ્કની હોવી જોઈતી હતી. પરંતુ, કોન્ટ્રાક્ટરે પોલિએસ્ટરની બનેલી સસ્તી શૉલ સપ્લાય કરીને તેના બિલ શુદ્ધ સિલ્કના ભાવે પાસ કરાવ્યા હતા.

એક શૉલની અસલી કિંમત: 350

બિલમાં બતાવેલી કિંમત: 1300

આમ, લગભગ ચાર ગણા ઊંચા ભાવ વસૂલીને છેલ્લા એક દાયકાથી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હતો. આ શૉલનો ઉપયોગ મંદિરમાં આવતા VIP મહેમાનો, મોટા દાતાઓનું સન્માન કરવા અને 'વેદાસિરવચનમ' જેવી પવિત્ર વિધિઓમાં થતો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો