Pakistan minority atrocities: પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ અને ખ્રિસ્તી સમુદાયના લોકો પર થતા અત્યાચારનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકી સીનેટની વિદેશ સંબંધ સમિતિના અધ્યક્ષ સીનેટર જિમ રિશ્ચે પાકિસ્તાન સરકારની આ મુદ્દે સખત આલોચના કરી છે અને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના આ નિવેદનથી પાકિસ્તાનની શહબાઝ સરકારની લઘુમતીઓ પ્રત્યેની નીતિઓ અને કાર્યવાહી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

